Saturday, December 13, 2008

ગુજકોક મંજૂર કરવામાં કેન્દ્રની અડોડાઈ

બોમ્બ બ્લાસ્ટ જેવી પ્રવૃત્તિમાં હાથ ધરાવતા આતંકવાદીઓની ધરપકડ થયા બાદ ઝડપથી કડકમાં કડક સજા થાય તે ખૂબ જ જરૂરી છે. આના અનુસંધાનમાં 2003 માં ગુજરાત સરકાર દ્વારા રાજ્ય વિધાનસભામાં આતંકવાદી પ્રવૃત્તિ જેવા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના ગુનેગારોને સજા આપવા માટે ગુજકોક પસાર કર્યો. પરંતુ તેમાં રહેલી થોડી ખામીઓ ધ્યાન પર આવતાં તેને ફેરવિચારણા માટે આડવાણી દ્વારા પાછો મોકલાયો. જ્યાં સુધીમાં આ કાયદો ફરી મંજૂરી માટે મોકલાયો ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર સત્તા પર આવી. પછે આ કાયદાની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા અટકાવી દેવાઈ અને દરખાસ્ત ફગાવી દેવાઈ. અને તેના સ્થાને નવો કાયદો બનાવવામાં આવ્યો જે ગુજકોક કરતાં ઓછી જોગવાઈઓ ધરાવતો હતો. તેમના મત અનુસાર આ કાયદાની જોગવાઈઓ પોટા જેવી જ હતી. પોટાને કહેવાતા ‘વાંધાજનક’ બાબતોને કારણે રદ કરવામાં આવ્યો હતો. તેથી ગુજકોકને પણ મંજૂર કરી શકાય નહિ. આ ઉપરાંત કેટલાક અન્ય વાહિયાત કારણો પણ આપ્યા. જેમ કે તેમના કહેવા અનુસાર ગુજરાતમાં પોટા હતો અને મહારાષ્ટ્રમાં મકોકા લાગુ હતો ત્યારે પણ આતંકવાદી હુમલાઓ થયા હતા. ગુજરાતમાં તો પોટાના સમયે ઊલટા વધુ હુમલા થયા હતા. તાજેતરમાં અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત સરકાર દ્વારા ફરીને ફરી ગુજકોકની મંજૂરી માટેના પ્રયત્ન કર્યા. તેમ છતાં કોંગ્રેસના પેટનું પાણી પણ હલ્યું નહિ. તેમના કહેવા અનુસાર કાયદો હોવા છતાં આતંકવાદી હુમલાઓ અટકતાં નથી. તેમજ વર્તમાન કાયદા પૂરતાં કડક છે. સાવ સાદી વાત એ છે કે કાયદાથી ગુનો થતો અટકી જવાનો નથી. પણ દેશ અત્યારે જે સંગઠિત ગુનાનો સામનો કરી રહ્યો છે તે કોઈ સામાન્ય કક્ષાના નથી. સામુહિક હત્યાકાંડ સમા આતંકવાદી હુમલા છે, તેની સામે લડવાના પ્રયાસોના એક ભાગ તરીકે કડકમાં કડક કાયદો જરૂરી છે. કોંગ્રેસની અડોડાઈનો યોગ્ય જવાબ આપતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખૂનના ગુનાની સજા માટે 302ની કલમ હોવા છતાં હત્યાના ગુના કાંઈ ઓછા નથી થઈ ગયા