Sunday, April 25, 2010

બિનજરૂરી વિવાદોના તમાશા બંધ કરો

શશી થરૂર અને લલિત મોદી વચ્ચેના વિવાદથી શરૂ થયેલા ઘટનાક્રમે આઈપીએલને 'ટોક ઓફ ધ નેશન' બનાવી દીધી છે. છાપાંમાં અને ન્યુઝ ચેનલો પાસે જાણે બીજા કોઈ સમાચારો જ ન હોય તે રીતે આ વિવાદને માઈલેજ આપવામાં આવે છે. આ તમાશા વચ્ચે જો કે સરકાર ખુશ છે. આઈપીએલના વિવાદના નશામાં મિડીયા અને દેશની જનતા તેમજ વિપક્ષી પાર્ટીઓ માટે મોંઘવારી, નક્સલવાદ, વડાપ્રધાનના હાલના વિદેશ-પ્રવાસની સિધ્ધિઓ અને મહિના અનામત બિલ જેવા મુદ્દા અંધારામાં જતા રહ્યા છે. આ વસ્તુ યોગ્ય નથી. ઘણીવાર આ બધા વિવાદોના તમાશા આપણને દેશની સાચી સમસ્યાઓથી વિમુખ કરી નાખે છે. આઈપીએલની પહેલાં સાનિયા-શોહેબના લગ્નના સમાચારોએ ન્યુઝ ચેનલોને ફુટેજ પુરી પાડી હતી.

આપણે બધાએ થોડા પ્રેક્ટિકલ અને પરિપક્વ બનવાની જરૂર છે. એકલું મીડિયા જ દોષી નથી. દેશની પ્રજાને પણ આ બધા તમાશા ચટાકા લેતાં જોવાનું વ્યસન થઈ ગયું છે.