Sunday, November 2, 2008

માનવાધિકાર સંસ્થાઓનું આતંકવાદીઓ પ્રત્યેનું વલણ

રાજકારણ કરવામાં ફક્ત રાજકીય પાર્ટીઓ અને તેમના નેતાઓ જ નહિ અન્ય સંસ્થાઓ પણ પાછળ નથી. ભારતમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા એનજીઓ ગમે તે મુદ્દાનો ઝંડો લઈ મોટું સ્વરૂપ આપી દે છે. આ ઉપરાંત માનવ અધિકાર સંસ્થાઓ પણ વિવાદિત મુદ્દાઓ છંછેડવામાં પાવરધા છે. માનવ અધિકાર સંસ્થાઓને બૉમ્બ બ્લાસ્ટ કે અન્ય આતંકવાદી હુમલાઓમાં મરનારા અને તેમના સગાંઓના માનવ-હકની નહિ પણ આતંકવાદીઓના માનવ-હક ની વધુ ચિંતા રહે છે. આતંકવાદીઓ કાયરોની જેમ ભીડવાળા વિસ્તારોમાં ક્રુરતાપૂર્વક હુમલા કરી નિર્દોષોનું લોહી વહાવે તો કાંઈ નહિ પરંતુ આતંકવાદીઓનું એન્કાઉન્ટર થાય કે તેમને ફાંસી જેવી આકરી સજા આપવામાં આવે તો તેમનો માનવ-હક ઘવાઈ જાય. આતંકવાદીઓ માણસો હોય છે જ ક્યાં તો તેમનો હક હોય! હવે આવી સામાન્ય બાબત આ લોકોને કોણ સમજાવે? ભારતમાં દરેક નાગરિકનો સમાન હક છે પરંતુ નાગરિક ત્યારે જ કહેવાય જ્યારે વ્યકિતને દેશ અને તેની પ્રજા માટે પ્રેમ અને લાગણી હોય. માત્ર દેશમાં જન્મ લેવાથી કે રહેવાથી નાગરિકત્વ મળતું નથી.

No comments: