Sunday, May 2, 2010

જય જય સ્વર્ણિમ ગુજરાત

ગઈકાલે ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂરા થયા. ગુજરાત સહિત સમગ્ર દુનિયાના વસતા ગુજરાતીઓએ આ પાવન અવસરની ઉત્સાહ સાથે ઊજવણી કરી. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં થયેલા ભવ્યાતિત સમારોહમાં ગુજરાતના ઈતિહાસ અને સંસ્કૃતિના દર્શન થયા. 'ગુજરાતના સીઈઓ' તરીકેની નામના મેળવેલા મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના વ્યક્તવ્યમાં છેલ્લા 50 વર્ષના તમામ વહીવટકર્તાઓનો ગુજરાતના વિકાસ બદલ આભાર માન્યો. તેમણે ગુજરાતના વિકાસ દ્વારા ભારતની સેવા કરવાનો વિશ્વાસ રજૂ કર્યો. કોંગ્રેસે આ સમારંભથી અળગા રહીને પ્રજાનો સાથ આપવાનો મોકો ગુમાવ્યો. કોંગ્રેસે પોતાના કાર્યક્રમનો રાજકીય અખાડા તરીકે ઉપયોગ કરી ખૂબ ખોટું કર્યુ. હું અને મારા જેવા સમગ્ર વિશ્વમાં વસતાં ગુજ્જુઓ આશા રાખીએ છીએ કે ગુજરાત ભવિષ્યમાં ખૂબ વિકાસ કરે.

No comments: