Thursday, May 27, 2010

નક્સલવાદ હાલમાં દેશની સળગતી સમસ્યા છે. જે દેશની લોકશાહી અને અખંડિતતા માટે ખતરારૂપ છે. દેશના પાંચ રાજ્યોમાં નક્સલવાદીઓનો સંપૂર્ણ કે અંશત: કબ્જો છે. તેઓ ફક્ત હિંસાની ભાષામાં જ વાત કરવાનું જાણે છે. નિર્દોષ લોકો અને સુરક્ષાકર્મીઓની હત્યા કરી તેઓ ભય ફેલાવવા માંગે છે. તેમને સમગ્ર દેશમાં પોતાનું લાલ સામ્રાજ્ય ઉભું કરવું છે. પછાત વર્ગના ઉધ્ધાર માટે શરૂ થયેલી આ ચળવળ હવે કરોડો રૂપિયાનો ધંધો બની ગયો છે. વેપારીઓ પાસેથી પ્રોટેક્શન મનીના નામે લાખો રૂપિયા પડાવે છે. નક્સલવાદને ફેલાતો અટકાવવો એ સરકાર માટે first priorityનું કામ છે.

No comments: