Tuesday, May 25, 2010

વડાપ્રધાન મનમોહન સિંહની પ્રેસ કોન્ફરન્સ

યુપીએ સરકારની બીજી ટર્મનું એક વર્ષ પૂરું થવાના પ્રસંગે વડાપ્રધાને દિલ્હીમાં ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. દેશભરની પ્રજા અને મીડિયાએ વડાપ્રધાન પાસેથી ઘણા બધા પ્રશ્નોના જવાબોની આશા રાખી હતી. દેશભરના મીડિયાએ તેમને કુલ 53 સવાલ પૂછ્યા. પણ મનમોહનસિંહે સૌમ્યતા છોડી પાક્કા રાજકારણીની જેમ અમુક સવાલોના જવાબ આપવાનું ટાળ્યું. અને જે સવાલોના જવાબો આપ્યા તેમાંથી ઘણા જવાબો અસ્પષ્ટ અને ગોળગોળ હતા. જેમકે ફુગાવા વિશે પુછતાં તેમણે ડિસેમ્બર સુધીમાં ફુગાવાને કાબુમાં લઈ લેવાની આશા વ્યક્ત કરી. આ ફક્ત 'ગધેડાને ગાજર બતાવવા' જેવી વાત થઈ. દેશની પ્રજા છેલ્લા એક વર્ષથી ફુગાવા અને મોંઘવારીમાં પીસાઈ રહી છે. નક્સલવાદ વિશે પણ તેમણે દેશના વડાપ્રધાનને છાજે તેવો જવાબ ન આપ્યો. તેમણે જે કહ્યું એ તો ગૃહમંત્રી અને રક્ષામંત્રી પહેલેથી જ ઘણી વખત કહી ચૂક્યા છે. મનમોહને કહ્યું કે તેઓ પોતાની કામગીરી વધુ સારી રીતે કરી શક્યા હોત. તેમના દરેક ભાષણમાં આર્થિક વિકાસદરનું ઢોલ જોરશોરથી વગાડવામાં આવે છે. પરંતુ દેશની પ્રજા મોંઘવારીથી પરેશાન રહેતી હોય ત્યારે 9 કે 10 ટકા ના વિકાસદરથી કંઈ વળતું નથી .સાથે સાથે મનમોહને એમ પણ કહ્યું કે તેઓ પોતાની કામગીરી વધુ સારી રીતે કરી શક્યા હોત
વડાપ્રધાનની પ્રેસ કોન્ફરન્સ જાણે યુપીએનો ચૂંટણી-ઢંઢેરા સમાન હતી. તેમણે આતંકવાદ-નક્સલવાદ, સરહદની સુરક્ષા, આંતરિક સલામતી, ચીન-અમેરિકા સાથેના સંબંધો, બેકારી જેવા મુદ્દા વિશે કશું જ ન કહ્યું

No comments: