Sunday, March 22, 2009

વોટબેંકની લ્હાયમાં દેશદ્રોહ

મુસ્લિમો સાથે ચૂંટણીમાં વૉટ જેટલો જ મતલબ રાખતી રાજકીય પાર્ટીઓને પોતાને મુસ્લિમોના મસીહા તરીકે ઓળખાવવું પસંદ છે. આ બાબતને સાબિત કરવા માટે અમુક નેતાઓ પણ આતંકવાદીઓને છાવરવામાં લાગી ગયા છે. સમાજવાદી પાર્ટી તો પહેલેથી જ સિમિની તરફેણમાં હતી. અગાઉ જ્યારે શ્રી મુલાયમસિંહ યુપીના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ સિમિને ગ્રાંટ પૂરી પાડતા હતા. અમદાવાદ બ્લાસ્ટના આરોપી અબુ બશરની ધરપકડના વિરોધમાં યુપીના આઝમગઢમાં કે જે અબુ બશરનું વતન છે ત્યાં એક રેલી કાઢવામાં આવે હતી જેમાં સમાજવાદી પાર્ટી અને યુપી કોંગ્રેસના ઘણા બધા કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા. આ સમાચારની નોંધ પ્રિંન્ટ મીડિયા સિવાય લગભગ બીજા કોઈએ લીધી ન હતી. ખરેખર તો આ સમાચાર જાણ્યા પછી તેને માઈલેજ અપાવું જોઈએ. આ પ્રકારની દેશદ્રોહી પ્રવૃત્તિમાં ભાગ લેવા બદલ તમામની ધરપકડ થવી જોઈતી હતી પરંતુ આવું કાંઈ થયું નહિ એ શરમજનક વાત છે. અમરસિંહે દિલ્હીના જામિયાનગરના બાટલા હાઉસમાં થયેલ એંકાઉન્ટરને નકલી ગણાવી તેની તપાસ કરાવવાની માંગ કરી હતી. તેમણે તો અથડામણમાં શહીદ થયેલા પોલીસ ઑફિસરની શહીદી પર જ સવાલ ઉઠાવ્યો હતો. તેમના મતે માર્યા ગયેલા આતંકવાદીઓ કાયદાના વિધ્યાર્થીઓ હતા. છતાં તેમની પાસે એકે-47 ક્યાંથી આવી. આતંકવાદીઓના સર્ટિફિકેટ્સ અને માર્કશીટ્સ બનાવટી હતી, શ્રી અર્જુન સિંહ અને શ્રી રામવિલાસ પાસવાને તો પકડાયેલા બાકીના આતંકવાદીઓને કાનૂની મદદ આપવાની પણ દરખાસ્ત કરી હતી મારે આ દેશના લોકો અને ખાસ કરીની મુસ્લિમોને કહેવુ છે કે આ જ પ્રકારની પાર્ટીઓ જે મુસ્લિમો વતી લડવાનું નાટક કરી દેશના લોકો વચ્ચે કોમવાદ ઉભો કરી પોતાનો મતલબ સાધે છે. આ માટે મુસ્લિમોને બદનામ કરે છે. જે પાર્ટી પોતાના દુશ્મન જોડે જોડાઈ શકે છે તે પોતાનો મતલબ સિધ્ધ કરવા પ્રજાને પણ દગો આપતા ખચકાતાં નથી. 

No comments: